Saturday, September 11, 2021

શબ્દ

શબ્દ દેહે શાશ્વત રહેવું છે, મારે મારી હયાતી બાદ પણ રહેવું છે,
જન્મ શબ્દ છે મૃત્યુ પણ શબ્દ છે, મારે શબ્દથી સદાય જીવંત રહેવું છે.

શબ્દની આરાધના કરી શબ્દની સાધના કરી નવું રચતા રહેવું છે,
મારે મારા બાદ પણ મારું અસ્તિત્વ કાયમ ટકાવી રાખવું છે.

મીર તકી, બેફામ, ઘાયલ અને ગાલિબ શબ્દ દેહે હજુય હયાત છે,
તુલસી, વાલ્મિકી, નરસિંહ અને મીરા પણ ક્યાં વિસરાય છે.

ગુરુબાણી પણ શબ્દ છે ગીતા અને બાઇબલ પણ શબ્દોથી છે,
શબ્દથી જ ઉપદેશ અને આદેશ છે, શબ્દ એક જ શાશ્વત છે.

શબ્દ ઉત્પત્તિ, શબ્દ પ્રલય, શબ્દ જ પાર બ્રહ્મ છે,
ભેદ જાણે જે શબ્દોનો જીવન એનું જ ધન્ય છે.

શબ્દોની નજાકતને શબ્દોથી સજાવવી છે,
લખી કૈક મારે લાગણી શબ્દો પ્રત્યે દર્શાવવી છે.

શબ્દથી જ નિત્ય સરસ્વાતીને પ્રાર્થના કરું છું આશિષ માંગુ છું,
કંઈક સારું રચી, મારા બાદ પણ યાદોમાં જીવંત રહેવા માંગુ છું.


આશિષ એ. મહેતા
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment