Saturday, May 29, 2021

ચપટો થઈ જાય તો શાલિગ્રામ અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.....

ચપટો થઈ જાય તો શાલિગ્રામ 
અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.

કેળવે જો લાયકાત તો આંહી
પથ્થર પણ ભગવાન બની જાય છે.

શીદને રડે ઓ માનવી તું પરિસ્થિતિના રોદણા
વિશ્વાસ મૂકીશ ઈશ્વરમાં તો વહાણ પણ તરશે રણમાં.

પાના ઇતિહાસના પલટાવીશ તો મળશે ઘણા ઉદાહરણો
ઈશ્વર પ્રાપ્તિનું બહુ જૂનું ઉદાહણ નથી ભક્ત બોડાણો.

સંબંધ તો સરખો જ હતો ભીમ અને અર્જુન સાથે કૃષ્ણનો
તોય સારથી અર્જુનના જ બન્યા કારણ ભાવ હતો અર્જુનનો.

છોડી દે સંશયો સઘળા તું નિજ મનના 
અર્પી દે જાતને હરિ શરણમાં.

લાયકાત કેળવી દે તારી એ પરમાત્મામાં
બસ પછી તું અનુભાવિશ પળેપળ છે એ તારી જ સંગમાં.


આશિષ એ. મહેતા



Creative Commons License



ચપટો થઈ જાય તો શાલિગ્રામ અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.....  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment