Saturday, August 17, 2013

“મા”!!!!!!!!! જગત જનની જગત જનેતા - ઉપકાર એના ભૂલશો નહિ

“મા” !!!! “મા” શબ્દ સાંભળતા  મનમાં કેવો આનંદ આવી જાય  છે. મન કેવું પ્રફુલિત થઇ જાય છે, શબ્દ જેટલો નાનો લાગે છે તે તેટલો મોટો અને મહત્વનો શબ્દ છે, નાનપણમાં બાળક સૌ પ્રથમ શબ્દમા”   તો બોલે છે અને નાનપણમાં બાળક માટેમા” આખુયે વિશ્વ હોય છે..….  વિશ્વમાં "મા" ના ઉપકાર માનીએ તેટલા ઓછા છે.

જયારે બાળક નાનું હોય ત્યારે "મા" તેની ખુબજ સાર સંભાળ રાખતી હોય છે....... "મા" પોતે ભીના માં સુવે છે પણ હંમેશા પોતાના બાળકને કોરામાં સુવડાવે છે. "મા" એટલે "ભગવાન", "મા" એટલે વાત્સલ્ય નું સ્વરૂપ, "મા' એટલે "ત્યાગ", "મા" એટલે "પ્રેમ", "મા" એટલે "પ્રેરણા", "માએટલે "મમતાનો સાગર".....

"મા" મારે છે પણ માર ખાવા નથી દેતી. "માહંમેશા બાળકને એના વાંક માટે બીજાની આગળ છાવરે, પણ "મા" બાળક ને સાચી રાહ પણ દેખાડે છેસ્વયં ભગવાનને પણ અવતરવું પડે છેમા ની ગોદમાં રમવું પડે છે. બાળક માટે "મા" ની ગોદ એટલે એની આખી દુનિયા, બાળક ભલે એક મહિનાનું હોય કે પછી પચાસ વર્ષનો માણસ, બધાને અનુપમ નિરાંતનો સતત અનુભવ કરાવનાર એટલે "મા".

"મા" એ દુનિયાની એક માત્ર એવી વ્યક્તિ છે જેની આગળ વિશ્વની દરેક તાકાત નબળી પડી જાય છે, પછી ભલેને એ કોઈ મોટો ઓફીસર, પ્રધાન કે પછી સામાન્ય માણસ જ કેમ ના હોય અને આપણા સમાજમાં ઘણી બધી કેહવતો છે જેવી કે "મા એ મા, બીજા બધા વગડાના વા." પણ ઘણી વાર માણસ "મા" ની મમતાને સમજી શકતો નથી. "મા" કદાચ પોતાના બાળકને કડવું વાક્ય કહે પણ એમાં "મા" નો પ્રેમ છુપાયેલો હોય છે, પરંતુ આજનો માનવી એ સમજ્યા-જાણ્યા વગર જ "મા" પ્રત્યે મનમાં દ્વેષભાવ બાંધી લેતો હોય છે અને સમય પસાર થતાની સાથે સાથે એ વધતો જ જાય છે.

પછી એક સમય એવો આવે છે કે દુઃખો સહન કરી પોતાને પાળનાર પોષનાર "મા"એ કરેલા અસંખ્ય ઉપકારો ભૂલીને માણસ પોતાને જન્મ આપનાર "મા" ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને આવું કરવામાં માણસ એક પળનો પણ વિચાર કરતો નથી.

આટલું બધું થાય છતાં પણ "મા" ની મમતા, "મા" નો પ્રેમ તેના પુત્ર પરથી ઓછો થતો નથી. "મા" તેના અંતિમ શ્વાસોમાં પણ તેના પુત્રનું નામ લેતી હોય છે પણ તેનો જ પુત્ર તેની "મા"ને માત્ર કહેવા પુરતું એક ક્ષણ માટે યાદ કરતો નથી હોતો અને જ્યારે તેને તેની "મા"ની વિદાયના સમાચાર મળે છે ત્યારે તે સાંભળી કદાચ રડી પણ લેતો હોય છે, પણ "મા"ની આંતરડી બાળ્યા પછી ખુદ રડવાથી શું ફાયદો?????

"મા"ને અંતિમ સમયમાં પોતાના હાથે કોળિયો ખવડાવે નહિ ને તેના ગયા પાછળ પીંડ દાન, શ્રાદ્ધ કરીને "મા"ને ખવડાવવા પ્રયાસ કરે, "મા"ને કોઈ દિવસ એક સારી સાડી પણ અપાવી ના હોય અને તેના ગયા પછી તેના ફોટા પર સુખડનો હાર ચડાવે, રોજ દીવો અને અગરબત્તી કરે પણ જીવતેજીવત "મા"ની આંતરડી બાળી તેના મર્યા પછી આ બધું કરવાનો શું અર્થ????? 

એ જ માણસ પછી કહે છે, "પેહલા આંસુ આવતાતા ને "મા" તું યાદ આવતીતી, હવે "મા" તું યાદ આવે છે ને "આંસુ" આવે છે."

આજ આપણા સમાજની વાસ્તવિકતા છે જે હાજર છે તેની સામે કોઈ જોતું નથી-તેની કોઈ કદર નથી અને તેના ગયા પછી તેની વાહ વાહ બોલાવી તેના અસ્થીને ચાર ધામ કરાવવા અને પછી સમય જતા બધું જ ભૂલી જવું.........!!!!!


ગૌરવ એમ. શુકલ


Creative Commons License
“મા”!!!!!!!!! જગત જનની જગત જનેતા - ઉપકાર એના ભૂલશો નહિ by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.


1 comment: