Saturday, August 15, 2020

ભારતની આઝાદીનું પર્વ, સ્વતંત્રતા દિવસ

આજે તારીખ 15-08-2020

ભારતની આઝાદીનું પર્વ, સ્વતંત્રતા દિવસ.

તમામ ભારતીયોને અમારા તરફથી સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ.

15-08-1947 ના દિવસે ભારતને આઝાદ દેશ જાહેર કરવામાં આવ્યો. આશરે 200 વર્ષ સુધીની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત, અને ભારતની આઝાદી માટે કંઈ કેટલાય નામી-અનામી લોકોએ ગાંધીજીના માર્ગે, ભગતસિંહ અને ચંદ્રશેખરના માર્ગે, સુભાષચંદ્રના માર્ગે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આજે આપણે સહુ આપણને મળેલ આઝાદીનું કેટલું મૂલ્ય ચૂક્યું છે એ ભૂલી ગયા છીએ. રાષ્ટ્રીય તહેવાર નજીક આવે એટલે આપણામાં દેશ ભક્તિ જાગૃત થાય છે.

મારી દ્રષ્ટિએ હજુ પણ આપણે પૂર્ણ રીતે આઝાદ થવાનું બાકી છે. આપણે હજુ પણ માનસિક ગુલામીમાં જ છીએ અને એ માનસિક ગુલામી છે, "ફલાણા દેશની વસ્તુ સારી, ફલાણા દેશની વ્યવસ્થા સારી..."

કોઈ પણ દેશ ત્યાં સુધી આત્મનિર્ભર નથી બનતો જ્યાં સુધી દેશનો દરેક નાગરિક પોતાના પહેલા પોતાના દેશનું વિચારતો ના થાય. આજે પણ આપણા દેશમાં પોતાનું, પોતાના પરિવારનું, પોતાની જાતિનું, પોતાની કોમનું  એટલે કે સ્વકેન્દ્રી વિચારસરણીનું પ્રાધાન્ય છે. આપણે આ સ્વકેન્દ્રી વિચારસરણીથી આઝાદ થઈને મારા દેશનું, મારા દેશ માટેની વિચારસરણી અપનાવીએ તો કદાચ આવનારા થોડાક વર્ષોમાં ફરીથી આપણો દેશ "સોને કી ચીડિયા" (અમે ઇચ્છીએ છીએ કે "સોને કા બાઝ" બને કારણ કે ચીડિયાનો શિકાર સરળતાથી થાય જયારે બાઝ શિકાર સરળતાથી કરી લે છે) બની જશે.

દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ સહીત ફરીથી સૌને આજના આ સ્વાતંત્રતા પર્વની હૃદય પૂર્વકની શુભકામનાઓ.

જય હિંદ
 

આશિષ એ. મહેતા


Creative Commons License


ભારતની આઝાદીનું પર્વ, સ્વતંત્રતા દિવસ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment